Home

chalti patti

"મારા ગેરીતાના રાવલ તપોધન ભાઈઓ આ વેબસાઈટમા આપનુ સ્વાગત છે. "

Labels

translate in your language /બ્લોગ ની ભાષા બદલો

"મારી પાસે જે વિગત છે તે મેં મુકેલી છે જો એમાં કઈ બદલાવ હોય તો સાચી માહિતી આપીને મદદ કરવી,માહિત માટેનું ફોર્મ અને વિગત માટેનું ફોર્મ ઉપર આપેલું છે. "

Thursday, 5 December 2024

રત્તી ભાર

 


*'રત્તી' આ શબ્દ આપણે ઘણી જગ્યાએ સાંભળીએ છીએ. જેમ કે, 'તેને તો રત્તીભાર પણ પરવા નથી', 'તમને રત્તીભાર પણ શરમ ન આવી..??', 'તેનામાં તો રત્તીભાર પણ અક્કલ નથી.' વગેરે...વગેરે.*

  

     *તો ચાલો, આજે આપણે આ 'રત્તી' શું છે તેની સમજ મેળવીએ.*


     *તમને જાણીને આશ્ચર્ય થશે કે 'રત્તી' એક પ્રકારના વનસ્પતિના બીજ છે..!! જે મોટાભાગે પહાડો પર અને વગડામાં વાડ પર જોવા મળે છે. આ બીજ વટાણાની સીંગમાં જેમ વટાણાના દાણા ગોઠવાયેલા હોય છે એમ ગોઠવાયેલ હોય છે. આ બીજ બે પ્રકારના હોય છે. જેમાં એક જાતમાં બીજ સંપૂર્ણ લાલ અને માથાનો છેડો કાળો હોય છે. જ્યારે બીજી જાતમાં બીજ સંપૂર્ણ સફેદ અને માથાનો છેડો કાળો હોય છે.*


    *શું હજુ પણ તમે આ 'રત્તી' ને ન ઓળખી..!?! તો સાંભળો, આ 'રત્તી' એ બીજુ કંઈ નહી પણ 'ચણોઠી' છે..!!*


    *પૂર્વ કાળમાં માપવાનું-તોલવાનું કોઈ પ્રમાણભૂત માપ નહોતું ત્યારે સોના જેવી ધાતુ અને ઘરેણાં તોલવા માટે આ 'રત્તી' એટલે કે 'ચણોઠી' નો ઉપયોગ કરવામાં આવતો હતો..!!*


    *સૌથી આશ્ચર્યની વાત તો એ છે કે આ 'રત્તી' એટલે કે 'ચણોઠી' ની સીંગ ગમે તેટલી પાકી જાય છતાં પણ તેની અંદર ગોઠવાયેલ દરેક 'રત્તી' નું વજન એક સમાન 121.5 મિલિગ્રામ (એક ગ્રામનો લગભગ 8 મો ભાગ) જ રહે છે...!!*


    *મતલબ કે વજનમાં સાવ થોડું અને સમાન હોવાના વિશિષ્ટ ગુણના કારણે તોલમાપમાં તેનો ઉપયોગ થવા લાગ્યો. એવી જ રીતે કોઈ વ્યક્તિમાં કોઈ ગુણ, કર્મ કે સ્વભાવને પ્રમાણિત રીતે વ્યકત કરવાનું એક માપ બની ગઈ આ 'રત્તી-ચણોઠી'.*


    *આમ, રત્તીભાર એટલે થોડુંક જ.*


    *ઘણીવાર લોકો દાળ-શાકમાં ઉપરથી મીઠું નાંખે છે. જૂના જમાનામાં આ રીતે મીઠું નાંખવા માટે કહેતા 'રત્તીભાર મીઠું આપજો.' આજે 'રત્તીભાર' શબ્દનું પ્રચલન ખૂબ ઘટી ગયું છે. છતાં કહેવતો રૂપે તો આજે પણ 'રત્તી' વ્યવહારમાં છે.*


     *જેમ કે...*


    *'રત્તીભાર કરેલું સત્કર્મ એક મણ પુણ્ય બરાબર છે.'*


     *'હું રત્તીભાર જૂઠું નથી બોલતો.'*


    *'આ ઘરમાં મારું રત્તીભાર પણ મૂલ્ય નથી.' વગેરે... વગેરે.*


    *તમને જાણીને આશ્ચર્ય થશે કે જે 'રત્તી' એક વનસ્પતિનું બીજ છે. જે 'રત્તી' ભાષા વ્યવહારની શોભા વધારે છે. એ 'રત્તી' તોલમાપનો એક પ્રાચીન એકમ છે...!! ઘણા ખરા અંશે સુવર્ણ કલાકાર (સોની) આ માપનો ઉપયોગ કરતા હોય છે.*


    *જૂના માપતોલ જોઈએ...*


  *- 8 ખસખસ = 1 ચોખો.*

  *- 8 ચોખા = 1 રત્તી.*

  *- 8 રત્તી = 1 માશા.*

  *- 4 માશા = 1 ટંક.*

  *- 12 માશા = 1 તોલો.*

  *- 5 તોલા = 1 છટાંક.*

  *- 16 છટાંક = 1 સેર.*

  *- 5 સેર = 1 પંસેરી.*

  *- 8 પંસેરી = 1 મણ.*


*(ઉપરોક્ત માપ હિંદીમાંથી અનુવાદ કરીને લખ્યા છે.)*


    *જો કે ઉપરોક્તમાંથી મોટાભાગના માપ વિસરાઈ ચૂક્યા છે. પરંતુ તેમાંથી 'રત્તી' અને 'તોલા' માપનો ઉપયોગ આજે પણ થાય છે.1 'રત્તી' નો મતલબ 0.125 ગ્રામ થાય છે. 11.66 ગ્રામ એટલે 1 તોલો. જો કે આજકાલ 1 તોલાને 10 ગ્રામ તરીકે ઓળખવાનું પ્રચલન છે.*


   *ઉપરોક્ત દર્શાવેલ માપમાં 'રત્તી' ખૂબ પ્રચલિત થઈ કારણ કે તે પ્રાકૃતિક રૂપે મળે છે. 'રત્તી' ને 'કૃષ્ણલા' કે 'રક્તકાકચિંચી' નામથી પણ ઓળખવામાં આવે છે. ઘણા લોકો તેને 'ગુંજા' તરીકે પણ ઓળખે છે.*


   *આ 'રત્તી-ચણોઠી' ની ખાસિયત એ છે કે તે આકારમાં નાના-મોટા નથી હોતા. તે સમાન આકાર-માપના હોય છે. દરેક બીજનું વજન પણ સમાન જ હોય છે. જેને આપણે કુદરતની કમાલ જ કહી શકીએ...!!*


    *સુવર્ણ કલાકાર (સોની) પૂર્વ સમયમાં ઉપર જણાવેલ પ્રાકૃતિક ગુણને કારણે તોલમાપના રૂપમાં આ 'રત્તી-ચણોઠી' બીજનો ઉપયોગ કરતા હતા.*


    *'રત્તી- ચણોઠી' બીજ ઝેરી હોય છે. તેને ખાવામાં આવતા નથી.*


      *💐💐💐*

Wednesday, 28 August 2024

અદભુત પ્રસંગ સાંભળવા અને સમજવા જેવું

 *होनी बहुत बलवान है*


अभिमन्यु के पुत्र ,राजा परीक्षित थे | 

राजा परीक्षित के बाद उन के लड़के जनमेजय राजा बने |


एक दिन जनमेजय वेदव्यास जी के पास बैठे थे | बातों ही बातों में जन्मेजय ने कुछ नाराजगी से वेदव्यास जी से कहा.. कि, *"जहां आप समर्थ थे, भगवान श्रीकृष्ण थे, भीष्म पितामह, गुरु द्रोणाचार्य कुलगुरू कृपाचार्य जी, धर्मराज युधिष्ठिर, जैसे महान लोग उपस्थित थे.. फिर भी आप महाभारत के युद्ध को होने से नहीं रोक पाए और देखते-देखते अपार जन-धन की हानि हो गई | यदि मैं उस समय रहा होता तो, अपने पुरुषार्थ से इस विनाश को होने से बचा लेता" |*


अहंकार से भरे जन्मेजय के शब्द सुन कर भी, व्यास जी शांत रहे |


 उन्होंने कहा, *"पुत्र अपने पूर्वजों की क्षमता पर शंका न करो | यह विधि द्वारा निश्चित था, जो बदला नहीं जा सकता था, यदि ऐसा हो सकता तो श्रीकृष्ण में ही इतनी सामर्थ्य थी कि वे युद्ध को रोक सकते थे |*


जन्मेजय अपनी बात पर अड़ा रहा और बोला, *"मैं इस सिद्धांत को नहीं मानता | आप तो भविष्यवक्ता है, मेरे जीवन की होने वाली किसी होनी को बताइए.. मैं उसे रोककर प्रमाणित कर दूंगा कि विधि का विधान निश्चित नहीं होता" |*


व्यास जी ने कहा, *"पुत्र यदि तू यही चाहता है तो सुन...." |*


*कुछ वर्ष बाद तू काले घोड़े पर बैठकर  शिकार करने जाएगा दक्षिण दिशा में समुद्र तट पर पहुंचेगा...वहां  तुम्हें एक सुंदर स्त्री मिलेगी.. जिसे तू महलों में लाएगा, और उससे विवाह करेगा | मैं तुम को मना करूँगा कि ये सब मत करना लेकिन फिर भी तुम यह सब करोगे | इस के बाद उस  लड़की के कहने पर तू एक यज्ञ करेगा | मैं तुम को आज ही चेता कर रहा हूं कि उस यज्ञ को तुम वृद्ध ब्राह्मणो से कराना.. लेकिन, वह यज्ञ तुम युवा  ब्राह्मणो से कराओगे.... और..*


जनमेजय ने हंसते हुए व्यासजी की बात काटते हुए कहा कि, *"मै आज के बाद काले घोड़े पर ही नही बैठूंगा..तो ये सब घटनाऐ घटित ही नही होगी |*


व्यासजी ने कहा कि, "ये सब होगा..और अभी आगे की सुन...,"उस यज्ञ मे एक ऐसी घटना घटित होगी....कि तुम ,उस रानी के कहने पर उन युवा ब्राह्मणों को प्राण दंड दोगे, जिससे तुझे ब्रह्म हत्या का पाप लगेगा...और..तुझे कुष्ठ रोग होगा..  और वही तेरी मृत्यु का कारण बनेगा | इस घटनाक्रम को रोक सको तो रोक लो" | 


वेदव्यास जी की बात सुनकर जन्मेजय ने एहतियात वश शिकार पर जाना ही छोड़ दिया | परंतु जब होनी का समय आया तो उसे शिकार पर जाने की बलवती इच्छा हुई | उस ने  सोचा कि काला घोड़ा नहीं लूंगा.. पर उस दिन उसे अस्तबल में काला घोड़ा ही मिला | तब उस ने सोचा कि..मैं दक्षिण दिशा में नहीं जाऊंगा परंतु घोड़ा अनियंत्रित होकर दक्षिण दिशा की ओर गया और समुद्र तट पर पहुंचा वहां पर उसने एक सुंदर स्त्री को देखा, और उस पर मोहित हुआ | जन्मेजय ने सोचा कि इसे लेकर  महल मे तो जाउंगा....लेकिन शादी नहीं करूंगा | 


परंतु, उसे महलों में लाने के बाद, उसके प्यार में पड़कर उस से विवाह भी कर लिया | फिर रानी के कहने से जन्मेजय द्वारा यज्ञ भी किया गया | उस यज्ञ में युवा ब्राह्मण ही, रक्खे गए | 

किसी बात पर युवा ब्राह्मण...रानी पर हंसने लगे | रानी क्रोधित हो गई ,और रानी के कहने पर राजा जन्मेजय ने उन्हें प्राण दंड की सजा दे दी..,  फलस्वरुप  उसे कोढ हो गया | 


अब जन्मेजय घबरा गया.और तुरंत  व्यास जी के पास पहुंचा...और उनसे जीवन बचाने के लिए प्रार्थना करने लगा | 


वेदव्यास जी ने कहा कि, "एक अंतिम अवसर तेरे प्राण बचाने का और देता हूं......., मैं तुझे महाभारत में हुई घटना का श्रवण कराऊंगा जिसे तुझे श्रद्धा एवं विश्वास के साथ सुनना है..., इससे तेरा कोढ् मिटता जाएगा | 


परंतु यदि किसी भी प्रसंग पर तूने अविश्वास किया.., तो मैं महाभारत का प्रसंग रोक दूंगा..,और  फिर मैं भी तेरा जीवन नहीं बचा पाऊंगा...,याद रखना अब तेरे पास यह अंतिम अवसर है | 


अब तक जन्मेजय को व्यासजी की बातों पर पूरा विश्वास हो चुका था, इसलिए वह पूरी श्रद्धा और विश्वास से कथा श्रवण करने लगा | 


व्यासजी ने कथा आरम्भ करी और जब भीम के बल  के वे प्रसंग सुनाऐ ....,जिसमें भीम ने हाथियों को सूंडों से पकड़कर उन्हें अंतरिक्ष में उछाला...,वे हाथी आज भी अंतरिक्ष में घूम रहे हैं....,तब जन्मेजय अपने आप को रोक नहीं पाया,और बोल उठा कि ये कैसे संभव  हो सकता है | मैं नहीं मानता | 


व्यास जी ने महाभारत का प्रसंग रोक दिया....और कहा..कि,"पुत्र मैंने तुझे कितना समझाया...कि अविश्वास मत करना...परंतु तुम अपने स्वभाव को  नियंत्रित नहीं कर पाए | क्योंकि यह होनी द्वारा निश्चित था" | 


फिर व्यास जी ने अपनी मंत्र शक्ति से आवाहन किया..और वे हाथी पृथ्वी की आकर्षण शक्ति में आकर नीचे गिरने लगे.....तब व्यास जी ने कहा, यह मेरी बात का प्रमाण है" | 


जितनी मात्रा में जन्मेजय ने श्रद्धा विश्वास से कथा श्रवण की,

उतनी मात्रा में  वह उस कुष्ठ रोग से मुक्त हुआ परंतु एक बिंदु रह गया और  वही उसकी मृत्यु का कारण बना | 

2

सार :-

 पहले बनती है तकदीरे फिर बनते हैं शरीर | कर्म हमारे हाथ मे है...लेकिन उस का फल हमारे हाथों में नहीं  है | 


गीता के 11 वें अध्याय के 33 वे श्लोक मैं श्री कृष्ण अर्जुन से कहते हैं, *"उठ खड़ा हो और अपने कार्य द्वारा यश प्राप्त कर | यह सब तो मेरे द्वारा पहले ही मारे जा चुके हैं तू तो केवल निमित्त बना है |*


होनी को टाला नहीं जा सकता लेकिन नेक कर्म व ईश्वर नाम जाप से होनी के प्रभाव को कम किया जा सकता है अर्थार्थ रोग आएंगे परंतु पीड़ा नहीं होगी | 


*अगर आपको भागवत गीता का यह प्रसंग अच्छा लगा हो तो आप दो और लोगों को जरूर शेयर करें* आपको पुण्य मिलेगा लाभ के भागीदार बनेंगे

Tuesday, 11 June 2024

શુભ પ્રકાશભાઈ રાવલ જેના દ્વારા શ્રેષ્ઠ, સફળ એકિટંગ કરી ને એક નાની ફિલ્મ રજૂ કરવામાં આવી છે.

શુભ રાવલ દાદા સાથે




ખરેખર દરેકના જીવનમાં એક તક માટે લોકો સખત મહેનત કરી રહ્યા હોય છે અને એ તક મળ્યા પછી કે તક મળતા પહેલા એના જીવનમાં આવતા સંઘર્ષ અને વેદનાઓને આ 15 મિનિટની ફિલ્મમાં બતાવવામાં આવી છે તેમાં શુભ પ્રકાશભાઈ રાવલ ગેરીતાના ખૂબ જ સરસ એક્ટિંગ કરીને શ્રેષ્ઠ અને ઉત્કૃષ્ટ સમજ ને બતાવવાનો પ્રયત્ન કર્યો છે

Tuesday, 23 April 2024

પિતાના હાથની છાપ..

 પિતાના હાથની છાપ..


પિતા વૃદ્ધ થઈ ગયા હતા અને ચાલતી વખતે તેમને દિવાલનો સહારો લેવો પડતો.  પરિણામે તેઓ જ્યાં પણ સ્પર્શ કરતા હતા ત્યાં દિવાલોનો રંગ ઊતરી ગયો હતો અને તેમના ફિંગરપ્રિન્ટ્સ દિવાલો પર છપાઈ ગયા હતા.

    મારી પત્નીની નજર એ ફિંગરપ્રિન્ટ્સ પર પડી. તે પછી તે ગંદી દેખાતી દિવાલો વિશે ઘણીવાર ફરિયાદ કરતી રહેતી.

 એક દિવસ, પિતાજીને માથાનો દુખાવો થતો હતો, તેથી તેણે તેમના માથા પર થોડું તેલ માલિશ કર્યું.  જેથી ચાલતી વખતે દીવાલોનો સહારો લેતાં દીવાલો પર તેલના ડાઘા પડી ગયા.

    આ જોઈને મારી પત્નીએ બૂમાબૂમ કરી મૂકી.  અને  બદલામાં મેં મારા પિતા પર બૂમો પાડી. તેમની સાથે અસંસ્કારી રીતે વાત કરી અને તેમને ચાલતી વખતે દિવાલોને સ્પર્શ ન કરવાની સલાહ આપી.

    તેમનું દિલ મારા આ વર્તનથી દૂભાયું પણ તેઓ કશું બોલ્યા નહીં. મને પણ મારા વર્તનથી શરમ આવી, પણ મેં કશું કહ્યું નહિ.

તે પછી પિતાજી એ ચાલતી વખતે દીવાલોનો સહારો લેવાનું છોડી દીધું. એક દિવસ તેઓ ચાલતાં ચાલતાં પડી ગયા અને પથારીવશ થઈ ગયા. અને થોડા દિવસોમાં આ દુનિયા છોડીને ચાલ્યા ગયા.


મેં મારા હૃદયમાં અપરાધની લાગણી અનુભવી.  મેં તેમનું દિલ દૂભવ્યુ હતું તે ક્યારેય ભૂલી શક્યો નહીં, તેમના અવસાન માટે મારી જાતને માફ ન કરી શક્યો.

    થોડા સમય પછી, અમે અમારા ઘરને રંગરોગાન કરાવવા માંગતા હતા.તે માટે  જ્યારે કારીગરો આવ્યા, ત્યારે મારા પુત્ર એ જે તેના દાદાને પ્રેમ કરતો હતો તેણે કારીગરો ને મારા પિતાના ફિંગરપ્રિન્ટ્સ સાફ કરવા અને તે વિસ્તારોને રંગવા ન દીધા.

 કારીગરો ખૂબ સારા કલાકારો હતા.  તેઓએ તેને ખાતરી આપી કે તેઓ મારા પિતાના ફિંગરપ્રિન્ટ્સ/હેન્ડપ્રિન્ટ્સને દૂર કરશે નહીં. તેમણે આ નિશાનોની આસપાસ એક સુંદર વર્તુળ દોર્યું અને એક સુંદર ડિઝાઇન બનાવી દીધી.

    તે પછી તે ડીઝાઇન એમ ને એમ જ રહી બલ્કે તે પ્રિન્ટ અમારા ઘરનો ભાગ બની ગઈ.  અમારા ઘરની મુલાકાત લેનાર દરેક વ્યક્તિ અમારી એ અનન્ય ડિઝાઇનની પ્રશંસા કરતાં.


    સમય સાથે હું પણ વૃદ્ધ થયો.

   હવે મને પણ ચાલવા માટે દીવાલના સહારાની જરૂર પડવા લાગી.  ચાલતી વખતે એક દિવસ મારા પિતાને મેં જે કઠોર શબ્દો કહ્યાં હતા તે યાદ આવ્યા.

 

મેં આધાર વિના ચાલવાનો પ્રયાસ કર્યો.  મારા પુત્રએ આ જોયું અને તરત જ મારી પાસે આવ્યો અને ટેકા વિના હું પડી ગયો હોત તેવી ચિંતા વ્યક્ત કરી અને મને ચાલતી વખતે દિવાલોનો ટેકો લેવા કહ્યું. મેં જોયું કે તે સાથે તેણે મને પકડી ને ટેકો આપ્યો.


 મારી પૌત્રી પણ તરત જ આગળ આવી અને પ્રેમથી મને તેના ખભા પર ટેકો આપવા કહ્યું.  હું બહુ ભાવુક થઈ ગયો, મારી આંખોમાં  ઝળઝળીયાં આવી ગયા. જો મેં મારા પિતા માટે પણ એવું જ કર્યું હોત, તો તેઓ લાંબા સમય સુધી જીવ્યા હોત.

    મારી પૌત્રીએ મને શાંત પાડ્યો અને મને સોફા પર બેસાડ્યો.

    પછી તેણે  તેની ડ્રોઇંગ બુક કાઢી અને તેમાં તેના શિક્ષકે તેના ચિત્રની પ્રશંસા કરી હતી અને તેને ઉત્તમ ગ્રેડ આપ્યો હતો  તે મને બતાવ્યું.

 તે ચિત્ર દિવાલો પર પડેલી મારા પિતાના હાથની છાપ નું હતું. અને તેના પર રિમાર્ક લખી હતી. - "કાશ દરેક બાળક વડીલોને એ જ રીતે પ્રેમ કરે".*

    હું મારા રૂમમાં પાછો આવ્યો અને ખૂબ રડી પડ્યો . મેં મારા પિતા પાસેથી માફી માંગી પરંતુ મોડું થઈ ગયું હતું. હવે તો તેઓ હયાત ન હતા.

આપણે પણ સમય સાથે વૃદ્ધ થઈએ છીએ.  ચાલો આપણા વડીલોનું ધ્યાન રાખીએ અને આપણા બાળકોને પણ એ જ શીખવીએ.

 🍁             

 ડૉ.એસ.પી. ચૌધરીનો એક સુંદર સંદેશ 

Shared from Wall of Prashant Vora

Sunday, 31 March 2024

આપણા સંસ્કાર

 સમય લઈને વાંચો


*આપણી નવી પેઢી ધર્મથી દૂર થતી જાય છે... સંખ્યા થી તો હિન્દુ ધર્મ પાળતી પ્રજા ૧૦૦ કરોડ ઉપર છે...પણ આપણા મહાન હિન્દુ ધર્મ વિશે બાળકો પાસે સાચી માહિતી નથી... તો તમે પણ આ માહિતી વાંચો અને તમારા બાળકો ને પણવંચાવો....


*(1) હિન્દુધર્મ પ્રમાણે માનવજીવનના સોળ સંસ્કારો :* 


1. ગર્ભાધાન સંસ્કાર 

2. પુંસવન સંસ્કાર 

3.સીમંતોન્ન્યન સંસ્કાર 

4. જાતકર્મ સંસ્કાર 

5. નામકરણ સંસ્કાર 

6. નિષ્ક્રમણ સંસ્કાર 

7. અન્નપ્રાશન સંસ્કાર 

8. વપન (ચૂડાકર્મ) સંસ્કાર 

9. કર્ણવેધ સંસ્કાર

10. ઉપનયન સંસ્કાર

 11. વેદારંભ સંસ્કાર 

12. કેશાન્ત સંસ્કાર 

13. સમાવર્તન સંસ્કાર 

14. વિવાહ સંસ્કાર 

15. વિવાહગ્નિપરિગ્રહ સંસ્કાર 

16. અગ્નિ સંસ્કાર


 *(2) હિન્દુધર્મના ઉત્સવો :*


1. નૂતન વર્ષારંભ 

2. ભાઈબીજ 

3. લાભપાંચમ 

4. દેવદિવાળી 

5. ગીતા જયંતિ (માગસર સુદ એકાદશી)

 6. ઉત્તરાયણ અને મકરસંક્રાંતિ 

7. વસંત પંચમી

 8. શિવરાત્રી 

9. હોળી

10. રામનવમી 

11. અખાત્રીજ 

12. વટસાવિત્રી (જેઠ પૂર્ણિમા) 

13. અષાઢી બીજ 

14. ગુરુ પૂર્ણિમા 

15. શ્રાવણી-રક્ષાબંધન 

16. જન્માષ્ટમી 

17. ગણેશ ચતુર્થી 

18. શારદીય નવરાત્રી

 19. વિજ્યા દશમી 

20. શરદપૂર્ણિમા 

21. ધનતેરસ 

22. દીપાવલી. 


*(3) હિન્દુ – તીર્થો : ભારતના ચાર ધામ :*


1. દ્વારિકા 

2. જગન્નાથપુરી 

3. બદરીનાથ 

4. રામેશ્વર 


*( 4 ) હિમાલ હિમાલય ના ચાર ધામ :* 


1. યમુનોત્રી 

2. ગંગોત્રી 

3. કેદારનાથ 

4. બદરીનાથ 


*(5) હિમાલયના પાંચ કેદાર :*

 

1. કેદારનાથ 

2. મદમહેશ્વર 

3. તુંગનાથ 

4. રુદ્રનાથ 

5. કલ્પેશ્વર 


*ભારતની સાત પવિત્ર પુરી :* 


1. અયોધ્યા 

2. મથુરા 

3. હરિદ્વાર 

4. કાશી 

5. કાંચી 

6.. અવંતિકા 

7. દ્વારિકા


 *દ્વાદશ જ્યોતિલિંગ :*


 1. મલ્લિકાર્જુન (શ્રી શૈલ – આંધ્ર પ્રદેશ)

 2. સોમનાથ (પ્રભાસ પાટણ – ગુજરાત) 

3. મહાકાલ (ઉજ્જૈન –મધ્યપ્રદેશ) 

4. વૈદ્યનાથ (પરલી-મહારાષ્ટ્ર) 

5. ઓમકારેશ્વર (મધ્યપ્રદેશ) 

6. ભીમાશંકર (મહારાષ્ટ્ર) 

7. ત્ર્યંબકેશ્વર (મહારાષ્ટ્ર) 

8. નાગનાથ (દ્વારિકા પાસે – ગુજરાત)

 9. કાશી વિશ્વનાથ (કાશી – ઉત્તરપ્રદેશ) 

10. રામેશ્વર (તમિલનાડુ) 

11. કેદારનાથ (ઉત્તરાંચલ) 

12. ઘૃષ્ણેશ્વર (દેવગિરિ-મહારાષ્ટ્ર) 


*અષ્ટવિનાયક ગણપતિ :*

 

1. ઢુંઢીરાજ – વારાણસી 

2. મોરેશ્વર-જેજૂરી 

3. સિધ્ધટેક 

4. પહ્માલય 

5. રાજૂર 

6. લેહ્યાદ્રિ 

7. ઓંકાર ગણપતિ – પ્રયાગરાજ 

8. લક્ષવિનાયક – ઘુશ્મેશ્વર


 *શિવની અષ્ટમૂર્તિઓ :* 


1. સૂર્યલિંગ કાશ્મીરનું માર્તડ મંદિર / ઓરિસ્સાનું કોર્ણાક મંદિર / ગુજરાતનું મોઢેરાનું મંદિર 

2. ચંદ્રલિંગ – સોમનાથ મંદિર 

3. યજમાન લિંગ – પશુપતિનાથ (નેપાલ) 

4. પાર્થિવલિંગ – એકામ્રેશ્વર (શિવકાંશી) 

5. જલલિંગ – જંબુકેશ્વર (ત્રિચિનાપલ્લી) 

6. તેજોલિંગ – અરુણાચલેશ્વર (તિરુવન્નુમલાઈ)

 7. વાયુલિંગ – શ્રી કાલહસ્તીશ્વર 

8. આકાશલિંગ – નટરાજ (ચિદંબરમ) 


*પ્રસિધ્ધ 24 શિવલિંગ :*


 1. પશુપતિનાથ (નેપાલ) 

2. સુંદરેશ્વર (મદુરા) 

3. કુંભેશ્વર (કુંભકોણમ) 

4. બૃહદીશ્વર (તાંજોર) 

5. પક્ષીતીર્થ (ચેંગલપેટ)

 6. મહાબળેશ્વર (મહારાષ્ટ્ર) 

7. અમરનાથ (કાશ્મીર) 

8. વૈદ્યનાથ (કાંગજા) 

9. તારકેશ્વર (પશ્ચિમ બંગાળ) 

10. ભુવનેશ્વર (ઓરિસ્સા) 

11. કંડારિયા શિવ (ખાજુરાહો)

 12. એકલિંગજી (રાજસ્થાન) 

13. ગૌરીશંકર (જબલપુર) 

14. હરીશ્વર (માનસરોવર) 

15. વ્યાસેશ્વર (કાશી) 

16. મધ્યમેશ્વર (કાશી)

 17. હાટકેશ્વર (વડનગર) 

18. મુક્તપરમેશ્વર (અરુણાચલ) 

19. પ્રતિજ્ઞેશ્વર (કૌંચ પર્વત) 

20. કપાલેશ્વર (કૌંચ પર્વત) 

21.કુમારેશ્વર (કૌંચ પર્વત) 

22. સર્વેશ્વર (ચિત્તોડ)

23. સ્તંભેશ્વર (ચિત્તોડ)

24. અમરેશ્વર (મહેન્દ્ર પર્વત) 


*સપ્ત બદરી :* 


1. બદરીનારાયણ 

2. ધ્યાનબદરી 

3. યોગબદરી 

4. આદિ બદરી 

5. નૃસિંહ બદરી 

6. ભવિષ્ય બદરી

 7.. વૃધ્ધ બદરી. 


*પંચનાથ :*


1. બદરીનાથ 

2. રંગનાથ 

3. જગન્નાથ 

4. દ્વારિકાનાથ 

5. ગોવર્ધનનાથ 


*પંચકાશી :* 


1. કાશી (વારાણસી) 

2. ગુપ્તકાશી (ઉત્તરાખંડ) 

3.ઉત્તરકાશી (ઉત્તરાખંડ)

4. દક્ષિણકાશી (તેનકાશી – તમિલનાડુ) 

5. શિવકાશી 


*સપ્તક્ષેત્ર* 


: 1. કુરુક્ષેત્ર (હરિયાણા) 

2. હરિહિર ક્ષેત્ર (સોનપુર-બિહાર) 

3. પ્રભાસ ક્ષેત્ર (સોમનાથ – ગુજરાત)

 4. રેણુકા ક્ષેત્ર (મથુરા પાસે, ઉત્તરપ્રદેશ) 

5. ભૃગુક્ષેત્ર (ભરૂચ-ગુજરાત) 

6. પુરુષોત્તમ ક્ષેત્ર (જગન્નાથપુરી – ઓરિસ્સા) 

7. સૂકરક્ષેત્ર (સોરોં – ઉત્તરપ્રદેશ) 


*પંચ સરોવર :*


 1. બિંદુ સરોવર (સિધ્ધપુર – ગુજરાત) 

2. નારાયણ સરોવર (કચ્છ) 

3. પંપા સરોવર (કર્ણાટક) 

4. પુષ્કર સરોવર (રાજસ્થાન) 

5. માનસ સરોવર (તિબેટ) 


*નવ અરણ્ય (વન)  :* 


1. દંડકારણ્ય (નાસિક) 

2. સૈન્ધાવારણ્ય (સિન્ધુ નદીના કિનારે)

3. નૈમિષારણ્ય (સીતાપુર – ઉત્તરપ્રદેશ) 

4. કુરુ-મંગલ (કુરુક્ષેત્ર – હરિયાણા) 

5. કુરુ-મંગલ (કુરુક્ષેત્ર – હરિયાણા) 

6. ઉત્પલાવર્તક (બ્રહ્માવર્ત – કાનપુર) 

7. જંબૂમાર્ગ (શ્રી રંગનાથ – ત્રિચિનાપલ્લી) 

8. અર્બુદારણ્ય (આબુ) 

9. હિમવદારણ્ય (હિમાલય) 


*ચૌદ પ્રયાગ :*


1. પ્રયાગરાજ (ગંગા,યમુના, સરસ્વતી)

 2. દેવપ્રયાગ (અલકનંદા, ભાગીરથી)

 3. રુદ્રપ્રયાગ (અલકનંદા, મંદાકિની) 

4. કર્ણપ્રયાગ (અલકનંદા, પિંડારગંગા) 

5. નંદપ્રયાગ (અલકનંદા, નંદા)

 6. વિષ્ણુપ્રયાગ (અલકનંદા, વિષ્ણુગંગા) 

7. સૂર્યપ્રયાગ (મંદાકિની, અલસતરંગિણી) 

8. ઈન્દ્રપ્રયાગ (ભાગીરથી, વ્યાસગંગા) 

9. સોમપ્રયાગ (મંદાકિની, સોમગંગા)

 10. ભાસ્કર પ્રયાગ (ભાગીરથી, ભાસ્કરગંગા) 

11. હરિપ્રયાગ (ભાગીરથી, હરિગંગા) 

12. ગુપ્તપ્રયાગ (ભાગીરથી, નીલગંગા) 

13. શ્યામગંગા (ભાગીરથી, શ્યામગંગા) 

14. કેશવપ્રયાગ (ભાગીરથી, સરસ્વતી) 


*પ્રધાન દેવીપીઠ :* 


1. કામાક્ષી (કાંજીવરમ્ – તામિલનાડુ) 

2. ભ્રમરાંબા (શ્રીશૈલ –આંધ્રપ્રદેશ) 

3. કન્યાકુમારી (તામિલનાડુ)

 4. અંબાજી (ઉત્તર ગુજરાત)

 5. મહાલક્ષ્મી (કોલ્હાપુર, મહારાષ્ટ્ર) 

6. મહાકાલી (ઉજ્જૈન-મધ્યપ્રદેશ)

 7. લલિતા (પ્રયાગરાજ-ઉત્તરપ્રદેશ)

 8. વિંધ્યવાસિની (વિંધ્યાચલ-ઉત્તરપ્રદેશ)

 9. વિશાલાક્ષી (કાશી, ઉત્તરપ્રદેશ) 

10. મંગલાવતી (ગયા-બિહાર) 

11. સુંદરી (અગરતાલ, ત્રિપુરા) 

12. ગૃહેશ્વરી (ખટમંડુ-નેપાલ) 


*શ્રી શંકરાચાર્ય દ્વારા સ્થાપિત પાંચ પીઠ :* 


1. જ્યોતિષ્પીઠ (જોષીમઠ – ઉત્તરાંચલ) 

2. ગોવર્ધંપીઠ (જગન્નાથપુરી-ઓરિસ્સા)

 3. શારદાપીઠ (દ્વારિકા-ગુજરાત)

 4. શ્રૃંગેરીપીઠ (શ્રૃંગેરી – કર્ણાટક) 

5. કામોકોટિપીઠ (કાંજીવરમ – તામિલનાડુ) 


*(4) ચાર પુરુષાર્થ :*


1. ધર્મ 

2. અર્થ

3. કામ 

4. મોક્ષ 

(વૈષ્ણવો ‘પ્રેમ’ને પંચમ પુરુષાર્થ ગણે છે. )


*(5) ચાર આશ્રમ :* 


1. બ્રહ્મચર્યાશ્રમ 

2. ગૃહસ્થાશ્રમ 

3. વાનપ્રસ્થાશ્રમ 

4. સંન્યાસાશ્રમ 


*(6) હિન્દુ ધર્મની કેટલીક મુલ્યવાન પરંપરાઓ :* 


1. યજ્ઞ

2. પૂજન 

3. સંધ્યા 

4. શ્રાધ્ધ 

5. તર્પણ 

6. યજ્ઞોપવીત 

7. સૂર્યને અર્ધ્ય 

8. તીર્થયાત્રા 

9. ગોદાન 

10. ગોરક્ષા-ગોપોષણ

11. દાન 

12.ગંગાસ્નાન 

13.યમુનાપાન

14. ભૂમિપૂજન  શિલાન્યાસ  વાસ્તુવિધિ 

15.સૂતક 

16.તિલક 

17.કંઠી – માળા 

18. ચાંદલો – ચૂડી – સિંદૂર 

19. નૈવેદ્ય 

20. મંદિરમાં દેવ દર્શન, આરતી દર્શન 

21. પીપળે પાણી રેડવું 

22. તુલસીને જળ આપવું 

23. અન્નદાન – અન્નક્ષેત્ર 


*આપણા કુલ 4 વેદો છે. :*


1. ઋગવેદ 

2. સામવેદ 

3. અથર્વેદ 

4. યજુર્વેદ 


*ભારતીય તત્વજ્ઞાનની આધારશીલા પ્રસ્થાનત્રયી કહેવાય જેમાં ત્રણ ગ્રંથોનો સમાવેશ થાય છે.:* 


1. ઉપનીષદો 

2. બ્રમ્હસુત્ર 

3. શ્રીમદ ભગવદગીતા 


*આપણા કુલ 6 શાસ્ત્ર છે.:*

 

1. વેદાંગ 

2. સાંખ્ય 

3. નિરૂક્ત

4. વ્યાકરણ 

5. યોગ 

6. છંદ 


*આપણી 7 નદી :* 


1. ગંગા 

2. યમુના 

3. ગોદાવરી 

4. સરસ્વતી 

5. નર્મદા 

6. સિંધુ 

7. કાવેરી 


*આપણા 18 પુરાણ :* 


1. ભાગવતપુરાણ 

2. ગરૂડપુરાણ 

3. હરિવંશપુરાણ 

4. ભવિષ્યપુરાણ

 5. લિંગપુરાણ 

6. પદ્મપુરાણ 

7. બાવનપુરાણ 

8. બાવનપુરાણ 

9. કૂર્મપુરાણ 

10. બ્રહ્માવતપુરાણ

 11. મત્સ્યપુરાણ 

12. સ્કંધપુરાણ 

13. સ્કંધપુરાણ 

14. નારદપુરાણ 

15. કલ્કિપુરાણ 

16. અગ્નિપુરાણ 

17. શિવપુરાણ 

18. વરાહપુરાણ 


*પંચામૃત :* 


1. દૂધ 

2. દહીં 

3. ઘી 

4. મધ 

5. ખાંડ 


*પંચતત્વ :* 


1. પૃથ્વી 

2. જળ 

3. વાયુ 

4. આકાશ 

5. અગ્નિ 


*ત્રણ ગુણ :* 


1. સત્વ 

2. રજ 

3. તમસ 


*ત્રણ દોષ :*


1. વાત 

2. પિત્ત 

3. કફ 


*ત્રણ લોક :* 


1. આકાશ 

2. મૃત્યુલોક 

3. પાતાળ 


*સાત સાગર :* 


1. ક્ષીર સાગર 

2. દૂધ સાગર 

3. ધૃત સાગર 

4. પથાન સાગર 

5. મધુ સાગર 

6. મદિરા સાગર 

7. લડુ સાગર 


*સાત દ્વીપ :* 


1. જમ્બુ દ્વીપ 

2. પલક્ષ દ્વીપ 

3. કુશ દ્વીપ

4. પુષ્કર દ્વીપ

5. શંકર દ્વીપ 

6. કાંચ દ્વીપ 

7. શાલમાલી દ્વીપ 


*ત્રણ દેવ :* 


1. બ્રહ્મા 

2. વિષ્ણુ 

3. મહેશ 


*ત્રણ જીવ :* 


1. જલચર 

2. નભચર 

3. થલચર 


*ત્રણ વાયુ :* 


1. શીતલ

2. મંદ 

3. સુગંધ 


*ચાર વર્ણ :* 


1. બ્રાહ્મણ 

2. ક્ષત્રિય 

3. વૈશ્ય 

4. ક્ષુદ્ર 


*ચાર ફળ :* 


1. ધર્મ 

2. અર્થ 

3. કામ 

4. મોક્ષ 


*ચાર શત્રુ :* 


1. કામ 

2. ક્રોધ 

3. મોહ, 

4. લોભ 


*ચાર આશ્રમ :* 


1. બ્રહ્મચર્ય 

2. ગૃહસ્થ 

3. વાનપ્રસ્થ 

4. સંન્યાસ 


*અષ્ટધાતુ :* 


1. સોનું 

2. ચાંદી 

3. તાબું 

4. લોખંડ 

5. સીસુ 

6. કાંસુ 

7. પિત્તળ 

8. રાંગુ 


*પંચદેવ :* 


1. બ્રહ્મા 

2. વિષ્ણુ 

3. મહેશ 

4. ગણેશ 

5. સૂર્ય 


*ચૌદ રત્ન :* 


1. અમૃત 

2. ઐરાવત હાથી 

3. કલ્પવૃક્ષ 

5. કૌસ્તુભમણિ 

6. ઉચ્ચૈશ્રવા ઘોડો 

7. પચજન્ય શંખ 

8. ચન્દ્રમા 

9. ધનુષ 

10. કામધેનુ

11. ધનવન્તરિ 

12. રંભા અપ્સરા 

13. લક્ષ્મીજી 

14. વારુણી 

15. વૃષ 


*નવધા ભક્તિ :*


1. શ્રવણ 

2. કીર્તન 

3. સ્મરણ 

4. પાદસેવન 

5. અર્ચના 

6. વંદના 

7. મિત્ર 

8. દાસ્ય 

9. આત્મનિવેદન 


*ચૌદભુવન :*


1. તલ 

2. અતલ 

3. વિતલ 

4. સુતલ 

5. સસાતલ 

6. પાતાલ 

7. ભુવલોક

8. ભુલૌકા 

9. સ્વર્ગ 

10. મૃત્યુલોક 

11. યમલોક 

12. વરૂણલોક 

13. સત્યલોક 

14. બ્રહ્મલોક

  

 

બાળકોને હીન્દુ હોવાનો ગર્વ થવો જોઇએ.

( આ માહીતી પોતાના બાળકને ભણાવો અને બીજાને મોકલો )

ગેરીતા રાવલ પેઢીની વડાની યાદી